ઘણા વખતથી જવાની એ રાહ જોતા હતાં
‘જો મેં આ બધાંને કહી રાખ્યું છે.
પણ તનેય કહું-
સોનાની બે બંગડી અને તુલસી માળા તારાં
હું જઉ પછી તારે લઇ જવાનાં
ગયા વર્ષે ઉનાળો પડતાં પહેલાં
દેશમાં હું તેમને મળવા ગઇ ‘તી
તુલસી માળા વિનાનું ખાલી તેમનુ ગળું
ન ગમ્યું, તે પરાણે પાછી પહેરાવીને આવી
અલી, પણ એને હું જઉ પછી તુ લઇ જજે,
ધૃવપંક્તિની અધીરાઇ હતી એમના અવાજમાં
અણજાણી અકળામણ માં હું ગણગણતી રહી
ક્યાં પહેરવાની આને, હું અમેરીકામાં?
મારું મન સાંભળી એમના હોઠ ફફડેલા-
તુ પહેરે ના પહેરે તારી ઇચ્છાની વાત
મેં સ્નેહવિવેક્થી હકાર અને નકારમાં માથું ધુણાવેલું
પરમ દિવસે તે ગયાં
તેમની મોકલાવેલી ડાબલી આજે ખોલું છું
છીન છીન થયેલ હાથ રૂમાલમાં બાંધેલી
ઝવેરચંદ જરીવાલાનાં સોનેરી અક્ષરો નીચેથી ઉપસતી
કિશોરી જેવા તેમના કાંડાની હસ્તી
મારા હાથમાં ઝાલું છું
ચોકડી અને ટપકાંની ભાતમાં કોતરેલી દિશાઓ,
ભરચક ભરેલા તારા અને કેટ કેટલા દસકાનાં સૂરજો
કંડારાયેલા છે એ સોનાનાં કાંડામાં!
ઉતાવળી ઉતારેલી માળામાં તેમનાં વાળનાં ત્રણ તાર
હજુયે ભરાયેલ છે, હું તે આંખે અડકાડું છું
તેમના હાથની સુંવાળી કરચલીઓને પંપાળું છું
સંબંધની આ કઇ જાળ છે એ નથી સમજાતું. એમ જ,
અનુભૂતિનાં આંસુનું એક નવુ મોતી આજ એમા પરોવું છું
*****
ડલાસ (અમેરીકા) ખાતે “ગુર્જરી” કવિતા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પામેલ આ કાવ્ય સાસુમા-વહુદિકરીનાં નિર્મળ પ્રેમની અનુભૂતીની વાત્ મનમાં સોંસરુ ઉતારી જાય તેવુ કાવ્ય છે. આ અનુભવ સત્ય ઘટના છે જ તે કહેવાની જરુર નથી છતા જે આ પરિસ્થિતિમાંથી પસાર થયુ હશે તેમને તો ભાવ વિભોર બનાવી દેવાને સક્ષમ કવિયત્રી અંગ્રેજીમાં પણ ઘણા મોટા ગજાની નામનાને વરેલાં છે. ગુજરાતી સહિત્ય સરિતાનાં સભ્ય હોવાને નાતે તેમનો અંગત પરિચય છે અને તેમની પાસેથી ગુજરાતીમાં ઘણું સર્જન મળશે તેવી શ્રધ્ધા અને અપેક્ષા છે.
બેહદ સુઁદર આત્મચિન્તન ! અભિનઁદન !
મને મારા સાસુ યાદ આવી ગયાં.
Wonderful.
Wish every household could sing this song and echo this feeling.
Best wishes for future creations.
Wow, Wonderful!!Very Nice !
ખુબ જ સુંદર અને અંતરની ઊંડી ભાવવાહી ને વ્યક્ત કરતું અને આપણને પણ ભાવમાં તરબર કરતું સરસ કાવ્ય.
વાંચે ગુજરાત
‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
http://rupen007.blogspot.com/
http://twitter.com/rppatel1in
http://www.facebook.com/rupen007?ref=name